હેલ્લો હાલાર ન્યૂઝ, તા.31 જુલાઈ 24,
જામનગર
જામનગરમાં પાછલા તળાવના બ્યુટીફીકેશન ના ચાલતા કરોડો નાં પ્રોજેક્ટ મા ધોવાણ થતું હોવા નું પ્રકાશ મા આવ્યું છે, તેમ જણાવી આજે વિપક્ષ અને કોંગ્રેસ આગેવાનો દ્વારા તળાવ ની મુલાકાત કરવામાં આવી હતી. જામનગરમાં પાછલા તળાવ ના વિકાસ કાર્ય નો કરોડો રૂપિયા નાં ખર્ચ વાળો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. પ્રોજેક્ટની શરૂઆત સમયે પણ વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર અને તળાવ બુરવા ની પ્રવૃતિ કરવામાં આવતી હોવા નાં આક્ષેપ કરવામાં આવ્યા હતા. આમ છતાં સત્તાધીશો દ્વારા દાદ આપવામાં આવી ન હતી. દરમિયાન તળાવના વિકાસના ચાલતા કામમાં અનેક સ્થળે ધોવાણ થઈ ગયું હોવાનો અને કામ નબળું ચાલતું હોવાનો વિપક્ષે આજે આક્ષેપ કર્યો હતો. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા , જામનગર મહાનગરપાલિકા ના વિપક્ષના નેતા ધવલ નંદા , વિપક્ષના કોર્પોરેટર આનંદ રાઠોડ ઉપરાંત કોંગ્રેસ ના અગ્રણી પાર્થ પટેલ તેમજ સાજીદ બ્લોચ. વગેરે આજે તળાવ ની મુલાકાતે પહોંચ્યા હતા. અને વિરોધ પ્રદર્શન કર્યો હતો. જે મામલે ભાજપના ધારાસભ્ય દિવ્યેશ અકબરીને પણ જાણ કરવામાં આવી છે.