જામનગરમાં કોમી  એકતાનું ઉત્તમ ઉદાહરણ

હેલ્લો હાલાર ન્યૂઝ, તા.17 સપ્ટેમ્બર 24,

જામનગર

ઈસ્લામ મઝહબના સ્થાપક મહંમદ પયગમ્બર સાહેબના જન્મદિવસ પ્રસંગે  જામનગરમાં ગઈકાલે ઇદે મિલ્લાદુન્નબી પ્રસંગે મહેમદ રજા મસ્જીદ ટ્રસ્ટ દ્વારા વિશાળ ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુલુસ મહેમદ રજા મસ્જીદથી સેટેલાઇટ પાર્ક થઇ સનસીટી અને મોરકંડા વિસ્તારમાંથી પસાર થયું હતું. અને મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરો જોડાયા હતાં.

જામનગરમાં ઈદ નિમિત્તે ભવ્ય ઝુલૂસ નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતાં. આ ઝુલૂસ જામનગરના વિવિધ માર્ગોમાં ફર્યું હતું. આ વખતે આ ઝુલૂસ ચાંદીબજાર સ્થિત મરાઠા ગણેશ મંડળના પંડાલ ખાતે પહોંચતાં ત્યાંના સંચાલકો દ્વારા સ્વાગત તેમજ ફૂલહાર અર્પણ કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *