ભગવાન ઝુલેલાલજી ની પ્રતિમા સાથે ચેડાં કરવાના દૂષ્કૃત્ય અંગે એસ.પી. ને આવેદન
હેલ્લો હાલાર ન્યૂઝ, તા.31 જુલાઈ 24,
જામનગર
જામનગરના બર્ધન ચોક, સિંધી માર્કેટ વિસ્તારમાં દેવી દેવતાઓની પ્રતિમાને નુકશાન પહોંચાડી સિંધી સમાજની લાગણી દુભાવવાના બનાવ સામે આજે વેપારીઓએ બંધ પાડીને જિલ્લા પોલીસવડા ને આક્રોશભેર આવેદનપત્ર પાઠવ્યું હતું.
જામનગર શહેર બર્ધનચોકમાં ભગવાન શ્રી ઝુલેલાલજીની પ્રતિમા સહિત દેવી દેવતાઓની પ્રતિમાઓ પર કલર કરી ખંડન કરવાની ચેષ્ટા કોઈ તત્વો દ્વારા કરવામાં આવી હતી.
આથી સમાજની ધાર્મિક લાગણી દુભવ્યાના વિરોધમાં સમગ્ર બર્ધનચોક માર્કેટના વેપારીઓ દ્વારા આજે બપોર પછી બંધ પાડી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીએ આવેદન પાઠવવા મા આવ્યું હતું. અને આ કૃત્ય કરનારને શોધી કાઢીને તેની સામે કડક પગલાં ભરવાની માંગણી કરવામાં આવી હતી. સિંધી કલોથ માર્કેટ એસોસિયેશનનાં સેક્રેટરી કિશોર સંતાણીની આગેવાનીમા આ કાર્યવાહી યોજાઈ હતી