લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી ANI ની સાથેના એક ઈન્ટરવ્યુમાં બંગાળની રાજનીતિ, કેજરીવાલ અને ઓડિશાની વિધાનસભા ચૂંટણીઓ પર ખુલીને પોતાના વિચારો વ્યક્ત કરી દીધા હતા.
હેલ્લો હાલાર ન્યુઝ, તા: ૨૮, મે ૨૦૨૪,
*લોકસભા ચૂંટણી:* પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ છેલ્લા 24 વર્ષથી ગાળો ખાઈ ખાઈ ને હવે તો ગાળપ્રૂફ બની ચૂક્યા છે. ANI ને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને ચૂંટણીમાં થયેલ અંગત હુમલાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને કોણે મોતના સોદાગર અને ગંદી ગટરના જીવાત કહ્યા ? સંસદમાં અમારા એક સાથીદારે ગણતરી કરી હતી કે 101 ગાળો થઈ છે, તેથી ચૂંટણી હોય કે ન હોય, આ લોકો (વિપક્ષ) માને છે કે ગાળો દેવી એ તેમનો અધિકાર છે અને તેઓ એટલા હતાશ થઈ ગયા છે કે તે ગાળો બોલવા લાગ્યા છે તે તેનો સ્વભાવ બની ગયો છે.
*બંગાળમાં ભાજપ સૌથી સારું પ્રદર્શન કરશેઃ મોદી*
લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા પહેલા ANIને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે, ‘TMC બંગાળની ચૂંટણીમાં અસ્તિત્વ માટે લડી રહી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં અમારી 3 શીટ હતી અને બંગાળના લોકો અમને 80 પર લઈ ગયા. છેલ્લી ચૂંટણીમાં અમને જંગી બહુમતી મળી હતી. આ વખતે સમગ્ર ભારતમાં જો કોઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય હોય તો તે પશ્ચિમ બંગાળ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને સૌથી વધુ સફળતા મળી રહી છે. ત્યાંની ચૂંટણી એકતરફી છે.મુસ્લિમો માટે ઓબીસી ક્વોટા પર કલકત્તા હાઈકોર્ટના આદેશ અને ત્યારબાદ મમતા બેનર્જીની પ્રતિક્રિયા પર પ્રધાનમંત્રીએ કહ્યું, ‘જ્યારે હાઈકોર્ટનો નિર્ણય આવ્યો ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે આટલો મોટો ગોટાળો થઈ રહ્યો છે પરંતુ તેનાથી પણ વધુ કમનસીબી એ છે કે વોટ હવે તેઓ બેંકના રાજકારણ માટે ન્યાયતંત્રનો પણ દુરુપયોગ કરી રહ્યા છે… આ સ્થિતિ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય ન હોઈ શકે.
*કેજરીવાલને બંધારણ વાંચવાની સલાહ આપી*
જ્યારે પીએમને કહેવામાં આવ્યું કે જેલમાંથી બહાર આવ્યા બાદ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કોણ જેલમાં જશે તે માત્ર વડાપ્રધાન જ નક્કી કરે છે, તેના પર પીએમએ કહ્યું કે આ લોકો બંધારણ વાંચે તો સારું.
*ઓડિશા પર ખુલીને બોલ્યા*
ઓડિશા વિધાનસભા ચૂંટણી વિષે PM એ બહુજ મોટો દાવો કર્યો છે કે ઓડિશાનું ભાગ્ય બદલાવાનું છે, સરકાર પણ બદલાઈ રહી છે. મેં કહ્યું છે કે વર્તમાન ઓડિશા સરકારની એક્સપાયરી ડેટ 4 જૂન છે અને 10 જૂને ભાજપના મુખ્યમંત્રી ઓડિશામાં શપથ લેશે.
કાશ્મીરમાં રેકોર્ડ બ્રેક વોટિંગ બાબતે, મોદીએ કહ્યું કે, કાશ્મીરના લોકોએ શાનદાર મતદાન કરીને વિશ્વને સંદેશ આપ્યો છે.